ભરૂચ: મોહરમ પર્વએ કલાત્મક તાજીયા સાથે કતોપોર બજાર જૂલુસોથી ઉભરાયું

શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

New Update
ભરૂચ: મોહરમ પર્વએ કલાત્મક તાજીયા સાથે કતોપોર બજાર જૂલુસોથી ઉભરાયું

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

ભરૂચ જિલ્લામાં હજારો મુસ્લિમ બિરાદરોએ કલાત્મક તાજીયાની સ્થાપના કરી મોડી રાત સુધી કલાત્મક તાજીયા સાથે વિવિધ કરતબો કરી જાહેર માર્ગો પરથી પસાર થયા હતા જેમાં ભરૂચના લાલ બજાર કોઠી થઈ કતોપોર બજાર ફાટા તળાવ સહિત ચાર રસ્તા સુધી મોટી માત્રામાં મુસ્લિમ બિરાદરો સાથે આવી પહોંચ્યા જાહેર માર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટ્યું હતું મોડી રાત સુધી તાજીયા સાથે જુલુસ સાથે કતોપોર બજાર સ્થિત મૌલા અલી દરગાહ ઉપર સલામી આપી તાજીયા જુલુસ પરત પોતાના વિસ્તારમાં ફર્યા હતા.

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.