ભરૂચ: ઝાડેશ્વર ચોકડી પર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિકોની માંગ

જાહેર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવા બાબતે સ્થાનિક આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

ભરૂચ: ઝાડેશ્વર ચોકડી પર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિકોની માંગ
New Update

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર જાહેર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવા બાબતે સ્થાનિક આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર અંદાજીત રોજના પાંચથી સાત હજાર નાગરિકો મુસાફરી માટે આવન જાવન કરતા રહે છે તેમાં ઝાડેશ્વર ચોકડી એક મુખ્ય કેન્દ્ર છે અને ત્યાંથી દહેજ ઝઘડિયા અંકલેશ્વર પાનોલી વિલાયત ભરૂચ જીઆઇડીસીમાં ખૂબ મોટા પ્રમાણમાં નોકરિયાત વર્ગ કંપનીઓના વાહનોમાં આવન જાવન પણ કરે છે.ઝાડેશ્વર ચોકડીથી રાજકોટ,ભાવનગર,અમરેલી તેમજ મુંબઈ નાસિક ઉના તરફ લાંબા રૂટ પર જનારા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે ઝાડેશ્વર ચોકડી પર જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને પીક અપ સ્ટેન્ડ બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને આ બાબતે આજરોજા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

#Zadeshwar Chowkdi #demand #BeyondJustNews #Connect Gujarat #construction #Gujarat #Locals #Bharuch #pay and use toilets
Here are a few more articles:
Read the Next Article