ભરૂચ: MLA અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ: MLA અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચની વાગરા વિધાનસભા બેઠક પર ભવ્ય જીત મેળવનાર ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.

Advertisment W3.CSS

જેમાં સાંસદ મનસુખવસાવા, પ્રભારી જનક બગદાણાવાળા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની હાજરીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધારાસભ્ય અરુણસિંહ રણાના ઋણ સ્વીકારના અભિગમને આવકાર્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નારેન્દ્રભાઈની લોકો પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેનો પ્રેમ, દેશ અને ગુજરાતને સુરક્ષિત રાખવામાં તેમનું યોગદાન અને વિશ્વાસ નરેન્દ્રભાઈનો છે એના કારણે આપણે 156 બેઠકો જીતી શક્યા છે.વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મતદાતાઓના ઋણનો સ્વીકાર કરી વાગરાના મતદારોએ તેમને પ્રેમભાવ અને તાકાત આપ્યા હોવાનું કહ્યું હતું. વાગરા વિધાનસભા ક્ષેત્રના વિકાસની ઝાંખી કરાવી ધારાસભ્યએ પ્રત્યેક ગરીબ પરિવારને તેનું પોતાનું ઘર મળે તેવો સંકલ્પ હોવાનું પણ ઉમેર્યું હતું.

Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

Advertisment W3.CSS

પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

માય થેલીની થીમ પર કાર્યક્રમની ઉજવણી

પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અપાયું પ્રોત્સાહન

બહેનોએ કાર્યક્રમમાં લીધો ભાગ 

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.
ભરૂચ નગરપાલિકા, NULM તથા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી."માય થેલી – પ્લાસ્ટિક બેગને ના કહો" થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી.