ભરૂચ : ભાડભૂત બેરેજથી ભૂખી ખાડીમાં ખારા પાણી ભરાવાની શક્યતા વચ્ચે વાગરાના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત..!

ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે.

New Update
ભરૂચ : ભાડભૂત બેરેજથી ભૂખી ખાડીમાં ખારા પાણી ભરાવાની શક્યતા વચ્ચે વાગરાના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત..!

ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની બહુઆયામી અને આશાસ્પદ યોજના છે. પરંતુ આ યોજનાના પગલે ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે. દરિયાના ખારા પાણીને ભૂખી ખાડીમાં આવતા અટકાવવા માટે ભેંસલી નજીક ભૂખી ખાડી પર ચેક ડેમ બનાવવા માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. ઉપરાંત તાજેતરમાં જ નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક ગાબડું પડતા આસપાસના વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતીના ઉભા પાકને નુકશાન થયું હતું. આ મામલે ખેડૂતોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને જાણ કરતા તેઓએ આ અંગે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા ભલામણ કરી હતી.

Advertisment