ભરૂચ: જંબુસરમાં ભારે પવનના કારણે મકાન પર વૃક્ષ ધરાશયી થતા માતા પુત્રીના મોત
ભરૂચના જંબુસરમાં ફૂંકાયેલ ભારે પવનમાં મકાન પર વૃક્ષ ધરાશયી થતાં મકાનમાં રહેલ માતા પુત્રીના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા
BY Connect Gujarat Desk7 March 2023 7:26 AM GMT
X
Connect Gujarat Desk7 March 2023 7:26 AM GMT
ભરૂચના જંબુસરમાં ફૂંકાયેલ ભારે પવનમાં મકાન પર વૃક્ષ ધરાશયી થતાં મકાનમાં રહેલ માતા પુત્રીના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા
ભરૂચના જંબુસર નગરમા સાંજના સમયે ફુંકાયેલા તોફાની પવને નગરમા ખાનાખરાબી સર્જી હોવાના તથા ફુંકાયેલ તોફાની પવનમા નગરના કલક રોડ પિશાચેશ્વર મહાદેવ નજીકના રહેણાંક મકાન પર એક વૃક્ષ ધરાશઈ થતા ઓસરી મા બઠેલ લક્ષ્મીબેન વાધેલાને ગંભીર ઈજાઓ થતા તેઓનુ ધટનાસ્થળે મોત નિપજયુ હતુ.જયારે અન્ય મહીલા સુમનબેન વાધેલા તથા ૬ માસની બાળકી દિવ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડયા હતા.જેમાં 6 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતા જંબુસર પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story