ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર

ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.

New Update
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર

ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે. આજે સવાર સુધી જળ સપાટી 17 ફૂટ સુધી પહોચી હતી.

Advertisment

નર્મદા નદીમાં ભળી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે. સોમવારે સવારે નર્મદાની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 4.92 ફૂટ હતી જે સાંજે 6 કલાક સુધીમાં 17 ફુટ સુધી પહોંચી હતી. ડેડીયાપાડા અને સાગબારામાં અવિરત વરસાદના પગલે કરજણ ડેમના 9 દરવાજા ખોલી કરજણ નદીમાં 2.10 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. કરજણ નદીમાં છોડાય રહેલું પાણી નર્મદા નદીમાં ભળી રહયું છે. જિલ્લામાં વાગરા,આમોદ,જંબુસર,ભરૂચ,બબુસરમાં કાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા જનજીવન પર અસર પડી છે

Advertisment