ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર

ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.

New Update
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર

ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે. આજે સવાર સુધી જળ સપાટી 17 ફૂટ સુધી પહોચી હતી.

નર્મદા નદીમાં ભળી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે. સોમવારે સવારે નર્મદાની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 4.92 ફૂટ હતી જે સાંજે 6 કલાક સુધીમાં 17 ફુટ સુધી પહોંચી હતી. ડેડીયાપાડા અને સાગબારામાં અવિરત વરસાદના પગલે કરજણ ડેમના 9 દરવાજા ખોલી કરજણ નદીમાં 2.10 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. કરજણ નદીમાં છોડાય રહેલું પાણી નર્મદા નદીમાં ભળી રહયું છે. જિલ્લામાં વાગરા,આમોદ,જંબુસર,ભરૂચ,બબુસરમાં કાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા જનજીવન પર અસર પડી છે

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.