Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નિપનનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 10 લાખથી વધુના માલમત્તાની ચોરી

રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

X

ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારમાં આવેલ નિપનનગર સોસાયટીના ડી-3 નંબરના બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું.

જેમાં મકાનમાં રહેતો પરમાર પરીવાર પોર નજીક આવેલા ઇટોલા ગામે કોઈ પ્રસંગ અર્થે ગયો હતો, ત્યારે રાત્રી દરમ્યાન અંધારાનો લાભ લઈ તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાંથી રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં લોકોમાં ખળભળાટ મચ્યો છે, ત્યારે સમગ્ર મામલે એ' ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story