Connect Gujarat
ભરૂચ

ભરૂચ:PM મોદીના જન્મ દિવસ નિમિત્તે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે મહામૃત્યુંજય જાપનું કરાયું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજરોજ જન્મદિવસ નિમિત્તે ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજરોજ જન્મદિવસ નિમિત્તે ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચમાં પાવન સલીલામા નર્મદા નદી કિનારે આવેલ તપોવન સંસ્કાર સ્કૂલ ખાતે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય જાપ અનુષ્ઠાન અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સાંસદ મનસુખ વસાવા,ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરીયા, ભાજપ રમતગમત સેલના પ્રશાંત પટેલ, તપોવન કેન્દ્રના ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી

Next Story