ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ

શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

New Update
ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ

ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તેઓએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો

ભરૂચમાં ઘણાં વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે.જેમાં ભરુચના દહેજ રસ્તા પર રૂ.420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેથી દહેજ ઔધોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના- મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ રહી છે.જેથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને ટ્રાફિકજામ ફસાઈ રહેવું પડે છે.જોકે અમુક વાહન ચાલકો ઉતાવળમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકો પણ તકલીફમાં મુકતા હોય છે.ત્યારે ઉમરાજ ગામની ચોકડી પરની નંદની પાર્ક સહિત અન્ય 6 સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે.આ માર્ગ પરથી વાહનો બેફામપણે પસાર થતા હોય સ્થાનિકોએ વાહન અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિકોના આક્ષેપ અનુસાર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતનો ભય રહે છે,આ ઉપરાંત ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ થઈ ગયું છે.તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે. 
Latest Stories