ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહીબિશનના ગુનામા ફરાર આરોપીની કરી ધરપકડ

પેરોલ પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરુચ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

New Update
ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહીબિશનના ગુનામા ફરાર આરોપીની કરી ધરપકડ

ભરુચ પેરોલ પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરુચ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુરના દ્વારા ફર્લો જમ્પ કરી ફરાર થયેલ તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચનાને આધારે ભરુચ પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ ડી.એ.તુવરના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનાના સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભરૂચ બંબાખાના ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વેજલપુર પારસીવાડ ખાતે રહેતો કીશન અશોકભાઇ ચુડાસમાને પકડી પાડી તેને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.