Connect Gujarat
ભરૂચ

ભરૂચ: CR પાટિલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુકનું કરાયું વિતરણ,PM મોદીના જન્મ દિવસની કરાય અનોખી ઉજવણી

પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પી.એમ.નરેન્દ્ર મોદીના જન્મદિવાસની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની શરૂઆત કરવામાં આવી હતી.આ યોજના હેઠળ દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.જેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ સંસ્થા અને દાતાઓના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ભેટ સ્વરૂપે 7272 દીકરીઓ સુકન્યા યોજનાનો લાભ આપવા સફળતા મેળવી છે ત્યારે આજરોજ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે દીકરીઓને સુકન્યા યોજના હેઠળના ખાતાઓની પાસબુકનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલ, ભાજપના ઉપાધ્યક્ષ જનક બગદાણાવાલા,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ પરમાર,દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ,પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસીયા,અસ્મિતા વિકાસ કેન્દ્રના સમીર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story