ભરૂચ: 10 ઓકટોબરે આમોદમાં PM મોદીના યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી, 1.5 લાખથી વધુ લોકો ઉમટી પડે એવો અંદાજ

આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે.

New Update
ભરૂચ: 10 ઓકટોબરે આમોદમાં PM મોદીના યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી, 1.5 લાખથી વધુ લોકો ઉમટી પડે એવો અંદાજ

આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારી અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં બેઠક મળી હતી.

આગામી ૧૦ મી ઓક્ટોબરે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવવાના હોય જિલ્લા ભાજપના આગેવાનોની આમોદ ખાતે સભાસ્થળ ઉપર બેઠક મળી હતી.જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,માજી સાસંદ ભરતસિંહ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,નાહીયેર ગુરુકુળના ડી.કે.સ્વામી,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતપટેલ,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપની આયોજન બેઠકમાં આમોદ ખાતે યોજાનારી વડાપ્રધાનની જાહેર સભામાં દોઢ થી બે લાખ જનમેદની ઉમટી પડવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.