ભરૂચ:અંકલેશ્વરની સજોદ શાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે છેડતીના આરોપ બાદ કર્યો આપઘાત,ડાયરી ખોલશે રહસ્યો ?

અંકલેશ્વરની સજોદ હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી

New Update
ભરૂચ:અંકલેશ્વરની સજોદ શાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે છેડતીના આરોપ બાદ કર્યો આપઘાત,ડાયરી ખોલશે રહસ્યો ?

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ભરૂચ નજીકના ગામમાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયું છે

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પેહલા નોંધાવવામાં આવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આચાર્ય વિરેન ઘડિયાળી અને તેમના પરિવારનું જીવવું દુષ્કર બન્યું હતું દરમ્યાન 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. મામલે સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને આક્ષેપો કરાયા હોવાની તેમજ પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યા હોવાનો ઉલ્લેખ હોવાનું મનાય રહ્યું છે જો કે ડાયરીમાં તેઓના મોત પાછળનું રહસ્ય છુપાયું છે