ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
BY Connect Gujarat Desk11 April 2022 7:34 AM GMT
X
Connect Gujarat Desk11 April 2022 7:34 AM GMT
યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું
ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સમાજના યુવા આગેવાન યુવરાજસિંહ દ્વારા રાજ્યમાં સરકારી વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયામાં થઈ રહેલ ગેરરીતિ બાબતે છેલ્લા ઘણા સમયથી અવાજ ઉઠાવવામાં આવી રહયો છે ત્યારે સરકાર આવું કૃત્ય કરતા સાચા ગુનેગારોને પક્દ્વાના બદલે સરકાર સામે અવાજ ઉઠાવનાર સાચા લોકોને હેરાન કરે છે. ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહની ખોટી રીતે ધરપકડ કરાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમના જે વિરુદ્ધ જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
Next Story