Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અયોધ્યા ધામ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં સવાર રામભક્તોનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

X

રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. તેવામાં શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા ખાતે જઈ શકે તે હેતુથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તેવામાં ભરૂચ રેલ્વે સ્ટેશન જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. વડોદરાથી ઉપડી અયોધ્યા ધામ રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પોહચતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાથમાં બેનર લઈ જય શ્રીરામના નારા સાથે દર્શનાર્થીઓનું ભવ્ય સ્વાગત સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story