અંકલેશ્વર :પડતર પ્રશ્ને તલાટીઓની હડતાળ, તાલુકાપંચાયતની તમામ કામગીરી ઠપ્પ

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update
અંકલેશ્વર :પડતર પ્રશ્ને તલાટીઓની હડતાળ, તાલુકાપંચાયતની તમામ કામગીરી ઠપ્પ

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે સરકાર દ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજિત રૂ. 15 હજાર સુધીનું ચુકવણું થાય છે. પરંતુ એજન્સીઓ મારફતે આઉટસોર્સ કર્મચારીઓને માત્ર 8થી 9 હજાર રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે. જે નક્કી થયેલ લઘુત્તમ વેતન કરતાં ઘણું ઓછું છે. એટલું જ નહીં, તમામ આઉટસોર્સિંગ કર્મચારી તેમના સમકક્ષ કાયમી કર્મચારીથી પણ અમુક કિસ્સામાં વધુ કામ કરે છે. તેમજ રાજ્ય સરકારના અન્ય કામ જેવા કે, ચૂંટણીની કામગીરી, મહેસુલી કામગીરી, સેવાસેતુ કાર્યક્રમો, કોરોનામાં કામગીરી, પુર રાહત સહિત અન્ય કામગીરી પણ નિઃસંકોચ કરતાં હોય છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના તલાટીઓ દ્વારા આજથી તાલુકા પંચાયતની તમામ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવી છે. એટલું જ નહીં, તલાટી કમ મંત્રીઓએ પંચાયત કચેરીઓની ચાવી અને સિક્કાઓ પણ જમા કરાવી દીધા છે.

માત્ર હર ઘર તિરંગા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી જ તલાટીઓ દ્વારા કાર્યરત રાખવામાં આવશે, ત્યારે અંકલેશ્વર તાલુકાના તલાટીઓ હડતાળ પર ઉતરતા તાલુકા પંચાયતની કામગીરી ઠપ થઈ જવા પામી હતી.

Read the Next Article

દ્વારકા : ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડમાં પોલીસે બે એજન્ટ સહિત 11 આરોપીઓની કરી ધરપકડ,93 બોટના બનાવટી દસ્તાવેજો મળ્યા

ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી

New Update
  • ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડનો મામલો

  • એસઓજી પોલીસે કરી કાર્યવાહી

  • બે મુખ્ય સહિત 11 આરોપીની ધરપકડ

  • ખોટા સોગંદનામા બનાવી આચર્યું કૌભાંડ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા.

મુખ્ય આરોપીઓમાં શાફીન સબીરભાઈ ભટ્ટી જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે,અને સુનિલ મનસુખભાઈ નિમાવત જે રામદૂત ઝેરોક્ષના માલિક છેતેમનો સમાવેશ થાય છે.આમ મુખ્ય બે આરોપીઓ સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે.

આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેપોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ કૌભાંડની કુલ રકમ આશરે રૂપિયા ત્રણ કરોડ સુધી પહોંચી છે.