/connect-gujarat/media/post_banners/0857803cab7db12ba4cfc9367d9c0cd6ccdd91216c8dd9939be959b989b04614.jpg)
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 5.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે.હાલ નર્મદા નદી ભયજનક સપાટીથી અઢી ફૂટ ઉપર વહી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. હાલ ડેમની જળ સપાટી 136.05 મીટર પહોંચી છે.નર્મદા ડેમમાંથી નદીમાં 5.50 લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટીમાં પણ વધારો થયો છે.
નદીની જળ સપાટી 26.50 ફૂટે પહોંચી છે. જેના પગલે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના 29 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે