ભરૂચ: રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજન, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી રહ્યા ઉપસ્થિત.

New Update
ભરૂચ: રૂપાણી  સરકારના 5 વર્ષની ઉજવણી, સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારમાં સી.એમ.વિજય રૂપાણી અને ડે.સી.એમ.નિતિન પટેલના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી,નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા,કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમમાં લોકોને સ્થળ પર જ સરકારની વિવિધ યોજના તેમજ આવક જાતિના દાખલા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે રૂપાણી સરકાર સંવેદનશીલ છે અને તેના ભાગરૂપે જ આ પ્રકારના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસ દ્વારા થતાં વિરોધ પ્રદર્શન અંગે પણ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે લોકો સરકારના કામ જુએ છે આથી કોંગ્રેસનો વિરોધ કારણ વગરનો છે.

તો આ તરફ અંકલેશ્વર ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો તેમજ સરકારની યોજનાના લાભ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા જો કે કોરોનાકાળ વચ્ચે સરકારી કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલનો પ્રારંભ

  • સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો થયો પ્રારંભ

  • મહંત ગંગદાસ બાપુના હસ્તે કરાયો પ્રારંભ

  • નેત્રરોગના દર્દીઓને મળશે આધુનિક સારવાર

  • પાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ સેન્ટરનો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના લોકો સુરત,વડોદરા સુધી આંખની તપાસ માટે જવું ન પડે અને મોતિયો માટે પણ લેસરથી ઓપરેશનની સુવિધા અંકલેશ્વરમાં મળી રહે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પાલિકાના હોદ્દેદારો,સભ્યો તેમજ ડો.સતીષ ગુપ્તા,ડો.નીરજ ગુપ્તા અને બીજા અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં લોકોને સુવિધા મળે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર સુવિધાઓથી સજ્જ  હોસ્પિટલ બનાવ્યું છે,અને લોકોને સારી સુવિધાઓ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.