ભરૂચ: નબીપુરમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવા નિમિત્તે પોલીસની ખાસ કવાયત, નગરજનોને શાંતિ જાળવવા કરી અપીલ
મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે.
BY Connect Gujarat21 April 2023 7:29 AM GMT
X
Connect Gujarat21 April 2023 7:29 AM GMT
ભારત વર્ષ એટલે વિવિધ સમુદાયનો સમૂહ અને તેમાં પણ તહેવારો પણ જુદા જુદા સમુદાયના એક સાથે ઉજવાય અને અનેરો ભાઈચારો સામે આવે.આ અંતર્ગત આગામી શનિવાર એટલે કે તા.22.04.2023 ના રોજ મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે.આ બંને સાથે આવેલા તહેવારો શાંતિમય રીતે ઉજવાય તે હેતુથી જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કે.એમ.ચૌધરીએ નબીપુર ગામમાં શેરી મહોલ્લામાં જઇ ગ્રામજનોને તહેવારો શાંતિમય વાતાવરણમા ઉજવવાની અપીલ કરી હતી અને જો કોઈને કોઈપણ જાતની સમસ્યા લાગે તો નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.
Next Story