ભરૂચ: શિક્ષક ભાવ વંદના સમારોહ યોજાયો,રાજ્યના 61 શિક્ષકોનું કરાયું સન્માન

ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું

New Update
ભરૂચ: શિક્ષક ભાવ વંદના સમારોહ યોજાયો,રાજ્યના 61 શિક્ષકોનું કરાયું સન્માન

ભરૂચના આંબેડકર હૉલ ખાતે શિક્ષક ભાવવંદના સમારોહમાં રાજ્યના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ અને કર્ણાવતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભરુચના આંબેડકર ભવન ખાતે જાણીતા કેળવણીકાર અને પત્રકાર તખુભાઈ સાંડસુરના 61માં જન્મ દિવસ નિમિત્તે શિક્ષક ભાવવંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે કેક કટિંગ કરી ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું આ શિક્ષક ભાવવંદના સમારોહમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર,લોક ગાયક અભેસિંહ રાઠોડ,જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર જે.પી.કોલેજના આચાર્ય ડો.નીતિન પટેલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories