ભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન...

સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે,

New Update
ભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન...

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે વાહિયાત ટીપ્પણી કરવામાં આવી હતી. જેનાથી સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે, ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમગ્ર રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમની વાહિયાત ટીપ્પણીને લઇને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા, બહેનો-દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે, ત્યારે તેમની લોકસભાની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ વેળા આમોદ તાલુકા સમગ્ર રાજપૂત સમાજના ભુપેન્દ્રસિંહ દાયમા, વિજયસિંહ સોલંકી, દિગ્વિજયસિંહ રાઠોડ, નીલકંઠસિંહ સિંધા, સુરપાલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજના રોષને જોતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે આમોદ મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.
Latest Stories