ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર,સ્થાનિકોમાં રોષનો માહોલ

ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું

New Update
ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર,સ્થાનિકોમાં રોષનો માહોલ

ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામના ગ્રામજનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઝાડેશ્વર ચોક્ડીથી શુકલતીર્થ સુધી મુખ્ય માર્ગ ઉપર ખાડાઓને પગલે ગ્રામજનો સાથે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.આ માર્ગ પર બની રહેલ બાંધકામની સાઇટ પર આવતા વાહનોને પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છે.નવ મહિનાથી ઝાડેશ્વર ચોકડીથી લઈને તવરા ગામ સુધીનો રસ્તો ખખડધજ બન્યો છે જેના કારણે લોકોને રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે.આ માર્ગ ઉપર અનેક ધાર્મિક સ્થળો આવ્યા હોવાથી ધર્મ પ્રેમી લોકો પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આ માર્ગની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમામ વાહન વ્યવહાર બંધ કરાવી અચોક્કસ મુદ્દત સુધી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

author-image
By Connect Gujarat Desk
New Update
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1)
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. 
Latest Stories