ભરૂચ : યુક્રેનથી ત્રણ વિદ્યાર્થીઓની વતન વાપસી, કલેકટર કચેરીએ લેવાયા વધામણા

યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે

New Update
ભરૂચ : યુક્રેનથી ત્રણ વિદ્યાર્થીઓની વતન વાપસી, કલેકટર કચેરીએ લેવાયા વધામણા

યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે અને તેમને પરત લાવવા માટે અભિયાન ચાલી રહયું છે. ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવતાં તેમનું સન્માન કરવામાં આવ્યું.

ભારત કરતાં યુક્રેનની કોલેજોમાં ફી ઓછી હોવાના કારણે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે જાય છે. છેલ્લા પાંચ દિવસથી રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે જેમાં મોટાપાયે તબાહી થઇ છે. યુક્રેનની કોલેજોમાં અભ્યાસ કરી રહેલાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાય ગયાં છે. કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનની પશ્ચિમમાં આવેલાં યુરોપના દેશો તરફ ચાલી નીકળ્યાં છે. ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયું છે.

જે અંતર્ગત વિદ્યાર્થીઓને એર ઇન્ડીયાના વિશેષ વિમાનો મારફતે ભારત લાવવામાં આવી રહયાં છે. ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનથી હેમખેમ પરત આવતાં તેમનું સન્માન કરાયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, કલેકટર ડૉ. તુષાર સુમેરા, એસડીએમ જે.ડી.પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.
Latest Stories