ભરૂચ: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી

ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા

New Update
ભરૂચ: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી

વડાપ્રધાનના બે મહત્વકાંક્ષી પ્રોજેકટ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ બુધવારે ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પેહલા દિવાળી ટાણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે અંકલેશ્વરના પુનગામનો પહેલો એવોર્ડ ₹640 આર્બીટ્રેટર કલેકટર તુષાર સુમેરાએ જારી કર્યો હતો.

ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લા ભાજપે પણ આ એવોર્ડ જારી થતા ભરપેટ વાહવાહી લૂંટી હતી અને ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા હતા. એક્સપ્રેસ વેમાં પ્રથમ પુનગામને એકરે ₹1.67 કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ જારી કરાતા, 34 ખેડૂતોને 40.90 એકરના ₹68.34 કરોડ રૂપિયા મળવાના હતા.પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મી.નો એવોર્ડ અપાતા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતોની ખુશીનો પાર રહ્યો ન હતો.

જોકે ચૂંટણી પૂર્ણ થતાં જ NHAI આ એવોર્ડ સામે કોર્ટમાં જતા ખેડૂતોની ખુશી ભયંકર નારાજગીમાં ફેરવાઈ ગઈ છે.આજે બુધવારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ અને સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે ઉમટી પડી અન્ય જિલ્લાને અપાયેલા વળતર જેટલું જ ચૂકવવા પ્રબળ માંગ કરી હતી. સાથે જ આર્બીટ્રેટરે જારી કરેલ એવોર્ડ જ એક્સપ્રેસ વે માં લાગુ કરવા રજુઆત કરી હતી.જ્યારે ભાડભુત બેરેજમાં પણ ડાબા કાંઠાના અંકલેશ્વરના ગામોની સંપાદિત થનારી જમીનમાં રિવાઇઝ વળતર આપવા નહિ તો સંપાદન પડતું મુકવાનો પોકાર કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: નેત્રંગ પંથકમાં અનરાધાર 3.5 ઇંચ વરસાદ, માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું

સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ

  • સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

  • સૌથી વધુ નેત્રંગ પંથકમાં વરસાદ

  • 3.5 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચના નેત્રંગ પંથકના સામેલા ધાર વરસાદ વરસતા જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદી પાણીના કારણે વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના પગલે મોવી ગામથી ડેડીયાપાડા જતા માર્ગ પર આવેલ નાળુ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયું હતું.નાળા પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ થઈ ગયો હતો.

બીજી તરફ નેત્રંગના ચોકલા અને પઠાર ગામ વચ્ચે અમરાવતી ખાડીના પાણી નાળા પરથી ફરી વળ્યા હતા જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. નેત્રંગ પંથકમાં ખાબકેલ ભારે વરસાદના પગલે નેત્રંગ નજીક વાલીયા  અંકલેશ્વર  માર્ગ પર ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસ સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો જેના કારણે મુસાફરો પણ અટવાયા હતા. નેત્રંગ પંથકમાં વરસેલ વરસાદના કારણે નદી નાળા જીવંત થઇ ઉઠ્યા હતા.

Latest Stories