ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.18 લાખના ખર્ચે નિર્માણ પામશે વિકાસના વિવિધ કામ

New Update
ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.18 લાખના ખર્ચે નિર્માણ પામશે વિકાસના વિવિધ કામ

ભરૂચના ભોલાવ વિતારમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેક વિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રું. ૫ લાખના ખર્ચે રોહીણીનગર સોસાયટીમાં ઓરડી બનાવવાનું કામ તેમજ રું.૩લાખના ખર્ચે નારાયણકુંજ કો.ઓ. સોસાયટીમાં સ્ટ્રીટ નં ૬ માં સીસી રોડનું કામ તેમજ

૧૫ % વિવેકાઘીનની ગાન્ટમાંથી ૫ લાખના ખર્ચે ભોલાવ ગામે નવી નગરી થી મૈત્રીનગર ફાટક સુધી ગટરલાઈનનું કામ સહિતના વિકાસના કર્યો થનાર છે.

જેનું ખાતર્મુહુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.