ભરૂચ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ મુદ્દે VHP અને બજરંગ દળનું તંત્રને આવેદન પત્ર.

નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ મુદ્દે VHP અને બજરંગ દળનું તંત્રને આવેદન પત્ર.

ભરૂચ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આગમી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક મહાપર્વના આયોજન કરવા જતાં ભરૂચમાં આવેલા આમોદ તાલુકાના ઈખર ગામમાં ગરબા પંડાલની તૈયારી પૂર્વે વિધર્મી ઈસમો દ્વારા ગરબાના આયોજનમાં અવરોધ ઊભો કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના ખૂબ જ નીંદનીય છે, અને આવી ધમકીઓને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સાખી લેશે નહીં. આ સાથે જ કાનૂની દાયરામાં રહી કાર્યવાહી કરવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના આગેવાનો જણાવ્યુ હતું.