ભરૂચમાં કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા આયોજિત ઇલેક્શન કોન્કલેવમાં કનેક્ટ ગુજરાત દ્વારા " Yes I Will Vote" અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતુ.
હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભરૂચના સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા ઇલેક્શન કોન્કલેવ જનાદેશ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.કોન્કલેવના પ્રારંભ પૂર્વે કનેક્ટ ગુજરાત દ્વારા " Yes I Will Vote" અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, હરીશ જોશી, કનેક્ટ ગુજરાતના યોગેશ પારિક,ભૌમિક વ્યાસ અને રાજકીય આગેવાનોના હસ્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એવી ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ હેતુથી કનેક્ટ ગુજરાત દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. કોનકલેવમાં પધારેલ આગેવાનોએ મતદાન જાગૃતિ અંગેના સંદેશ લખ્યા હતા અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી