ભરૂચ-અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખોની વરણી, આગેવાનો દ્વારા પાઠવાય શુભકામના

ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે

New Update
ભરૂચ-અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખોની વરણી, આગેવાનો દ્વારા પાઠવાય શુભકામના

ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે તો સાથે જ ચાર નગર પાલિકાના નવ નિયુક્ત પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે

ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે તો આ તરફ ભરૂચ તા.પંચાયત- પ્રમુખ કૌશિક પટેલ,અંકલેશ્વર તા.પંચાયત-પ્રમુખ પુષ્પા પટેલ,હાંસોટ તા.પંચાયત-પ્રમુખ સંગીતા સોલંકી,વાલિયા તા.પંચાયત-પ્રમુખ સિતાબહેન વસાવા,વાગરા તા.પંચાયત-પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા,જંબુસર તા.પંચાયત-પ્રમુખ નિતિન પટેલ,નેત્રંગ તા.પંચાયત-પ્રમુખ વસુધા વસાવા,ઝઘડીયા તા.પંચાયત-પ્રમુખ જયેન્દ્ર વસાવા અને આમોદ તા.પંચાયત-પ્રમુખ તરીકે હેમલતા પરમારની વરણી કરવામાં આવી છે.આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા જ્ઞાતિવાદી સમીકરણોના આધારે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે.

તો આ તરફ ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ તરીકે વિભૂતિ યાદવ,અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ તરીકે લલિતા રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી.જંબુસર નગર પાલિકાના પ્રમુખ તરીકે અમીષા શાહ તો આમોદ નગર પાલિકાના પ્રમુખ તરીકે જ્લ્પા પટેલની વરણી કરવામાં આવી હતી.નવ નિયુક્ત પદાધિકારીઓને શુભેરછા પાઠવવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.