ભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
BY Connect Gujarat10 Aug 2022 3:00 PM GMT
X
Connect Gujarat10 Aug 2022 3:00 PM GMT
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન
ભરૂચ અને અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નિકળી
મોટી સંખ્યામાં લોકો જોડાયા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલવવામાં આવી રહ્યું છે અને આઝાદીના અમૃતકાળ નિમિત્તે લોકોને પોતાના ઘરે તિરંગો ફરકકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ યુવા ભાજપ દ્વારા તીરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ તો અંકલેશ્વરમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. યાત્રામાં ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
Next Story