શ્રમિકોની અછત..! : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર-પાનોલીમાં હોળી-ધૂળેટી નિમિત્તે શ્રમિકો વતનની વાટે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે.

New Update
શ્રમિકોની અછત..! : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર-પાનોલીમાં હોળી-ધૂળેટી નિમિત્તે શ્રમિકો વતનની વાટે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે.

રંગોના પર્વ હોળી-ધૂળેટી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શ્રમિકો પણ તહેવારની ઉજવણી કરવા માટે માદરે વતન જઇ રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે. આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતાં હોય છે. અત્યારથી શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડી રહી છે. હોળી-ધૂળેટીના એક મહિના પછી કામદારો પરત આવતાં હોય છે, અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાડુ ગબડાવશે. પણ તહેવાર છે, જેની શ્રમિકો પરિવાર સાથે ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ વતનમાં જતાં તમામ શ્રમિકોને હોળીના પર્વની શુભકામના પાઠવી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.