/connect-gujarat/media/post_banners/817935eea011acb2fe35a88ff4d85fbb3330227b78cb315f51175383c24495a7.jpg)
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન
રૂ.1.80 લાખના માલમત્તાની ચોરી
સોના-ચાંદીના ઘરેણાની પણ ચોરી
પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાંઇ શુકન એપાર્ટમેંટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાંઇ શુકન એપાર્ટમેંટના મકાન નંબર-307માં રહેતા સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકડી ગત તારીખ-25મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરનું તાળું મારી હાંસોટ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનું અવસાન થતાં મરણ પ્રસંગે ગયા હતા જ્યાં તેઓ રોકાયા હતા તે દરમિયાન તારીખ-25મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વિધવા મહિલાએ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.