Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી...

પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી

ભરૂચ : વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી...
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના વાલીવારસોને શોધવાની કવાયત શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જોતા કેનાલના વહેતા પાણીમાં એક વ્યક્તિનો મૃતદેહ પાણીમાં તરતો નજરે પડ્યો હતો.

પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસી જોતા તેના શરીરે કોઈ પણ ઇજા કે, ઘાનું નિશાન મળ્યું ન હતું. મરણજનાર ઇસમના ખિસ્સા તપાસી જોતા તેમાં પણ ઓળખ થાય તેવા કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા. જેને મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, ત્યારે હાલ તો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવા સાથે તેના વાલીવારસોને શોધવાની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story