/connect-gujarat/media/post_banners/9c955f8837129f5c272cd740d442967d36c19ffa49477579945a624896a22e85.jpg)
સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર થી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
શિયાળાની શરૂઆત થતાંની સાથે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવે પર અવનવી વસ્તુઓનું વેચાણ થાય છે. હવે પોંકના સ્ટોલની સાથે ઉબાડીયાનું પણ વેચાણ થઇ રહયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શિયાળામાં ઉબાડિયાના સ્ટોલ જોવા મળે છે તેનો સ્વાદ હવે અંકલેશ્વર સુધી પહોંચ્યો છે. વડોદરા- અમદાવાદથી લઇ ભરૂચ જિલ્લાવાસીઓ વિશેષ વ્યંજનની મજા માળવા પહોંચી રહ્યા છે. શાકભાજીમાંથી બનતા ઉબાડિયામાં આયુર્વેદિક ઔષધિ, મસાલા અને એને જે માટીના માટલા બનાવવાની રેસિપી જ તેને અગલ તારવે છે. તેની સાથે રહેલી વિવિધ ચટણી તેના સ્વાદમાં વધારો કરે છે. જેને લઇ સ્વાદ પ્રિય લોકોની તે પહેલી પસંદ બની છે.