પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, કહ્યું રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારવું એ સૌથી મોટી ભૂલ
અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે.
BY Connect Gujarat Desk4 March 2024 12:15 PM GMT
X
Connect Gujarat Desk4 March 2024 12:15 PM GMT
અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે. દિવ્ય ભાસ્કર મોઢવાડિયાના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યું હતું, જ્યાં તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા હતા.
Next Story