Connect Gujarat
ભરૂચ

યાકુબ ગુરુજી ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસથી નારાજ, પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

યાકુબ ગુરજીએ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલીયને પ્રદેશ કાર્યાલય ખાતે પોતાની નારાજગી સાથે આપેલ રાજીનામામાં પોતાની વ્યથા જણાવતા લખ્યું

યાકુબ ગુરુજી ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસથી નારાજ, પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
X

યાકુબ ગુરજીએ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલીયને પ્રદેશ કાર્યાલય ખાતે પોતાની નારાજગી સાથે આપેલ રાજીનામામાં પોતાની વ્યથા જણાવતા લખ્યું છે કે, ભરૂચ જીલ્લાના સંગઠનમાં કેટલાક વર્ષોથી કમલ છાપ કોંગ્રેસીઓનો વહિવટ છે. ખુદ જીલ્લા પ્રમુખે છેલ્લા એક વર્ષમાં પક્ષની વિચારધારા વિરૂદ્ધ અનેક કૃત્યો જાહેરમાં કરેલ છે તેમજ ભાજપને ફાયદો પહોંચાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રમાણિક અને જનાધાર ધરાવનાર આગેવાનોને પક્ષથી વિમુખ કર્યાં છે.

જીલ્લામાં ત્રણ વર્ષમાં કોંગ્રેસ ખૂબજ નબળી બની છે અને ચાલુ પ્રમુખને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રદેશ પ્રમુખના આદેશની અવગણના બદલ નોટીસ પણ પાઠવેલ છે.ત્યારે આવા પ્રમુખ સાથે કામ કરવું અસહ્ય હોય તે બાબતની રજૂઆત પાર્ટી પ્રોટોકોલમાં રહી જીલ્લા પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ સુધી વારંવાર કરી હોય તેમ છતાં પ્રદેશ કક્ષાએથી પ્રમુખને બદલવાની જગ્યાએ જીલ્લા પ્રમુખ તરીકે ચાલુ રાખવાની જાહેરાત કરેલ છે.જેનાથી આહટ થઈ રાજીનામું આપ્યું હતું.

Next Story