Connect Gujarat
ગુજરાત

92વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયા હોવાનો ભાવનગરનો પ્રથમ કિસ્સો : સારવાર, સેવા અને મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ

92વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયા હોવાનો ભાવનગરનો પ્રથમ કિસ્સો : સારવાર, સેવા અને મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ
X

ભાવનગરમાં આજે

કોરોનાગ્રસ્ત 3 દર્દીઓની સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા

હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી

ઘટના જોવા મળી હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની

તાળીઓના ગડગડાટ વચ્ચે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા એક 92 વર્ષીય વૃદ્ધ

સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભાવનગર શહેરના વડવા

વિસ્તારમાં રહેતા 92 વર્ષિય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તા. 28

માર્ચના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ

કરવામાં આવ્યાં હતાં. જ્યાં મેડીકલ ટીમની સઘન સારવાર, તંત્રની શ્રેષ્ઠ સેવા અને વૃદ્ધના મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

હતો. જેના પરિણામ સ્વરૂપે 92 વર્ષની જૈફ વયે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ

ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં તેમણે સફળતા હાંસલ કરી હતી.

Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, આ રોગ

70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ હાનિ કરે છે. તેથી જ સમગ્ર

વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ આંક દર 70 વર્ષથી વધુ ઉંમરના લોકોનો નોંધાયો

છે, ત્યારે પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ઉપરોક્ત તમામ

સંભાવનાઓ પર વિજય મેળવીને ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે

કે, સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ

છે. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા જાણવા મળ્યું હતું કે, વૃદ્ધને

સારવાર દરમ્યાન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા અને નિયમિતપણે

યોગ પ્રાણાયામ કરી પોતાના સ્વાસ્થ્યની દરકાર લેતા હતા. તેમના મુખ્ય પર ક્યારેય

ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી. ઉપરાંત વૃદ્ધને જ્યારે હોસ્પિટલમાંથી રજા

અપાઇ ત્યારે તેઓએ પોતાના આગવા અંદાજમાં શાયરીઓ પણ બોલ્યા હતા. તેઓએ વિદાય લેતા

કહ્યું હતું કે, મારા જેવા વૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ

સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.

Next Story