આજનો ભારત એક વિચિત્ર વિરોધાભાસમાંથી પસાર થઈ રહ્યો છેએક તરફ આપણે ચંદ્ર પર પહોંચવાની અને વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએતો બીજી તરફ ગલીઓના નાકે જ્ઞાતિવાદધર્મવાદ અને વર્ગવિગ્રહના સમીકરણો માંડીએ છીએ.’ભારતીય‘ હોવાનો ગર્વ હવે ક્યાંક ‘હું  જ્ઞાતિનો છું‘ કે ‘હું  ધર્મનો છું‘ તેવા અહંકાર નીચે દબાઈ રહ્યો છેજ્યારે સમાજમાં એકતાનો પાયો  ડગમગતો હોયત્યારે તેના પર વિકાસની ભવ્ય ઈમારત ચણવી કેટલી યોગ્ય છે?

આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશનું રાજકારણ ‘વિકાસ‘ કરતા ‘વોટ બેંક‘ પર વધુ નિર્ભર છે.નેતાઓ જાણે છે કે જો લોકો એક થઈ જશેતો તેઓ રોજગારી અને મોંઘવારીના પ્રશ્નો પૂછશેએટલે તેમને જ્ઞાતિના નામે અનામત કે ધર્મના નામે ધ્રુવીકરણના વાડામાં પૂરી દેવામાં આવે છે.ચૂંટણી સમયે ઉમેદવારની લાયકાત કરતા તેની જ્ઞાતિ કે ધર્મ જોવામાં આવે છેઆનાથી સક્ષમ નેતૃત્વને બદલે ‘સમૂહનું નેતૃત્વ‘ કરનારા લોકો સત્તા પર આવે છેજે રાષ્ટ્રહિત કરતા પક્ષહિત કે જ્ઞાતિહિતને વધુ મહત્વ આપે છે.ભારત  વિવિધતાઓનો દેશ છેજ્યાં ધર્મ  આધ્યાત્મિક શાંતિનું સાધન હોવું જોઈએપરંતુ વર્તમાનમાં ધર્મનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છેધર્મને રાજકીય હથિયાર બનાવી દેવામાં આવ્યો છેએકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા ફેલાવીને ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાને પહેલા હિન્દુમુસ્લિમશીખ કે ખ્રિસ્તી માને છે અને ‘ભારતીય‘ ઓળખને ગૌણ ગણે છેત્યારે રાષ્ટ્રીય અખંડિતતા જોખમાય છેધર્મના નામે થતા દંગા કે વિવાદો માત્ર માનવતાને  નહીંપણ દેશના અર્થતંત્રને પણ વર્ષો પાછળ ધકેલી દે છેજાતિવાદની સાથે સાથે આર્થિક વર્ગવિગ્રહ પણ વધ્યો છેસમાજનો એક વર્ગ અતિશય સમૃદ્ધ બની રહ્યો છેજ્યારે બીજો વર્ગ પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરે છે અસમાનતા ઈર્ષ્યા અને અસંતોષ જન્માવે છેજે હિંસક આંદોલનોમાં પરિણમે છે.જ્ઞાતિવાદ  ભારતીય સમાજનું એવું વળગણ છે જે આધુનિક યુગમાં પણ ગયું નથીલગ્નથી લઈને વ્યવસાય સુધીહજી પણ જ્ઞાતિના વાડાઓ નડતરરૂપ બને છે.

કોઈપણ દેશ ત્યારે  પ્રગતિ કરી શકે જ્યારે તેના નાગરિકો ‘સામૂહિક શક્તિ‘ માં માનતા હોયજ્યારે સરકારી તંત્રમાં પણ જ્ઞાતિ અને ધર્મના આધારે પક્ષપાત થવા લાગેત્યારે ન્યાય પ્રણાલી નબળી પડે છે.

સોશિયલ મીડિયા પર જ્ઞાતિ-ધર્મના નામે થતી લડાઈઓ યુવાનોની માનસિકતાને ઝેરી બનાવી રહી છેજે ઉંમરે તેમણે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ વિશે વિચારવું જોઈએતે ઉંમરે તેઓ ‘ઈતિહાસના બદલા‘ લેવાની વાતો કરે છેહડતાલરસ્તા રોકો આંદોલનો અને સાંપ્રદાયિક હિંસાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થાય છેજે રકમનો ઉપયોગ શિક્ષણ કે હોસ્પિટલ બનાવવા માટે થઈ શક્યો હોત.પરિસ્થિતિ અત્યંત ગંભીર છેપણ બદલાવ આપણા હાથમાં છે.ધર્મ અને જ્ઞાતિ ઘરની ચાર દીવાલની અંદર હોવા જોઈએબહારની દુનિયામાં આપણી ઓળખ માત્ર ‘ભારતીય નાગરિક‘ ની હોવી જોઈએ.

રાજકારણીઓના ઉશ્કેરણીજનક ભાષણોને ઓળખતા શીખવું પડશેજે નેતા શિક્ષણ અને રોજગારની વાત કરે તેને  પ્રાથમિકતા આપવી જોઈએ.નવી પેઢીને એવું શિક્ષણ મળવું જોઈએ જે ભેદભાવના ચશ્મા ઉતારીને ‘વસુધૈવ કુટુંબકમની ભાવના જગાડે.જો ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હોયતો આપણે આપણી માનસિકતાના વાડાઓ તોડવા  પડશેજાતિજ્ઞાતિ અને ધર્મ  વ્યક્તિગત શ્રદ્ધા હોઈ શકેપણ રાષ્ટ્રીય વિકાસ માટે તે ક્યારેય અવરોધ  બનવા જોઈએજ્યાં સુધી આપણે એકબીજાના હાથમાં હાથ મિલાવીને ‘હિન્દુસ્તાની‘ તરીકે ગૌરવ નહીં લઈએત્યાં સુધી વિકાસ માત્ર આંકડાઓમાં  રહેશેજમીન પર નહીં.