રજિસ્ટર્ડ એન્ટિટીએ વેચાણકર્તાને જૂના વાહનના વેચાણ પર માત્ર ત્યારે જ GST ચૂકવવો પડશે જો માર્જિન એટલે કે નફો હશે. 'માર્જિન' રકમ વાહનની અવમૂલ્યન સમાયોજિત કિંમત કરતાં વેચાણ કિંમતના વધારાને દર્શાવે છે.
નોંધનીય છે કે GST કાઉન્સિલે ગયા અઠવાડિયે તેની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) સહિત તમામ જૂના વાહનોના વેચાણ પર 18 ટકા GSTનો એક જ દર નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ અલગ-અલગ દરો લાદવામાં આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ જૂની કાર અન્ય વ્યક્તિને વેચે છે તો તેના પર GST વસૂલવામાં આવશે નહીં.
GSTનું ગણિત આ રીતે સમજો
જ્યાં નોંધાયેલ એન્ટિટીએ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 32 હેઠળ અવમૂલ્યનનો દાવો કર્યો હોય, ત્યાં GST માત્ર સપ્લાયરના 'માર્જિન' મૂલ્ય પર ચૂકવવો પડશે. જ્યાં આવા માર્જિન મૂલ્ય નેગેટિવ હોય, ત્યાં કોઈ GST વસૂલવામાં આવશે નહીં.
ઉદાહરણ તરીકે, જો કોઈ રજિસ્ટર્ડ એન્ટિટી રૂ. 20 લાખની ખરીદ કિંમત સાથેનું જૂનું વાહન રૂ. 10 લાખમાં વેચી રહી હોય અને રૂ. 8 લાખના ઘસારાનો દાવો કરે તો તેને જીએસટી ચૂકવવો પડશે નહીં.
કારણ કે સપ્લાયરની વેચાણ કિંમત રૂ. 10 લાખ છે અને ઘસારા પછી તે વાહનની વર્તમાન કિંમત રૂ. 12 લાખ થાય છે. આ રીતે વેચનારને વેચાણ પર કોઈ નફો નથી મળી રહ્યો. જો ઘસારા પછીનું મૂલ્ય રૂ. 12 લાખ જેટલું જ રહે છે અને વેચાણ કિંમત રૂ. 15 લાખ છે, તો સપ્લાયરના 'માર્જિન' એટલે કે રૂ. 3 લાખ પર 18 ટકાના દરે GST ચૂકવવો પડશે.
નિષ્ણાતે શું કહ્યું?
EY ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે GST કાઉન્સિલે જૂની અને વપરાયેલી EV અને નાની અશ્મિભૂત ઇંધણની કાર પર GST દર 12 ટકાથી વધારીને 18 ટકા કરવાની ભલામણ કરી છે, જે મોટી કાર અને SUV માટે લાગુ પડે છે તે જ દર છે . એ નોંધવું અગત્યનું છે કે સેકન્ડ હેન્ડ વાહનો પર GST માત્ર માર્જિન પર જ લાગુ થશે અને વાહનોની વેચાણ કિંમત પર નહીં. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત સુધારા પહેલા વાહનની સમગ્ર વેચાણ કિંમત પર સેકન્ડ હેન્ડ EV પર GST લાગુ થતો હતો.