Connect Gujarat
બિઝનેસ

મોંઘવારીનો વધુ એક માર, વાંચો ખાદ્યતેલના ભાવમાં કેટલા રૂપિયાનો થયો વધારો

મોંઘવારીનો વધુ એક માર, વાંચો ખાદ્યતેલના ભાવમાં કેટલા રૂપિયાનો થયો વધારો
X

શ્રાવણ મહિનાના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધ્યા છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં 15 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2465 રૂપિયાથી વધીને 2490 પહોચ્યો છે. તો કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 30 રૂપિયા વધી ગયા છે. તો પામોલિન તેલમાં પણ ડબ્બાદીઠ 25 રૂપિયા વધી ગયા છે.

પામોલિન તેલના ડબ્બાનો ભાવ બે હજારને પાર થઈ ગયો છે. મોંઘવારીમાં પિસાતી જનતા રાંધણ ગેસ, દૂધ, પેટ્રોલ, ડીઝલના ભાવથી પહેલાથી જ પરેશાન છે, જે બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. શ્રાવણના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલના ભાવ નવેમ્બર ડિસેમ્બર સુધી ઘટે તેવી કોઇ શક્યતા નથી. હાલમાં મગફળીની આવક ઓછી છે. બજારમાં ક્યાંય મગફળીનો જથ્થો ઉપલબ્ધ નથી જે જથ્થો છે તે ભેજવાળો છે અને સૂકી મગફળીના ભાવ ઉંચા છે જેથી આ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

Next Story