Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક પહોંચ્યો 58 પર

ગુજરાતમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક પહોંચ્યો 58 પર
X

રાજ્યમાં

કોરોનાના વધુ 228 કેસ સામે

આવ્યા છે અને 5 લોકોના મોત

થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ

મૃત્યુઆંક 58એ પહોંચ્યો

છે. જ્યારે 94 લોકો સાજા

થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે

ગુજરાતમાં 277 નવા કેસો

સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત

અમદાવાદ એકલામાં જ 240 કેસ નવા

નોંધાયા હતા.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 140, સુરતમાં 67, આણંદમાં 1, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, બનાસકાંઠામાં 2, વડોદરામાં 8, રાજકોટમાં 5 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ પાંચના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે.

Next Story