Connect Gujarat
દેશ

દિલ્હી : લાલ કિલ્લા ખાતે ૨૬મી જાન્યુઆરીની પરેડમાં નહીં જોવા મળે પશ્ચિમ બંગાળની ઝાંખી

દિલ્હી : લાલ કિલ્લા ખાતે ૨૬મી જાન્યુઆરીની પરેડમાં નહીં જોવા મળે પશ્ચિમ બંગાળની ઝાંખી
X

કેન્દ્ર સરકાર દ્વારા 26 મી જાન્યુઆરીએ

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સમાવેશ

કરવામાં આવ્યો નથી. રક્ષા મંત્રાલયે બુધવારે માહિતી આપી હતી કે બંગાળ સરકારની ઝાંખી માટેનો

પ્રસ્તાવ નિષ્ણાત સમિતિને બે વાર મોકલવામાં આવ્યો હતો. બીજી મીટિંગમાં વિગતવાર

ચર્ચા કર્યા પછી, તેને રદ કરાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસે તેને

પશ્ચિમ બંગાળનું અપમાન ગણાવ્યું છે.

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ

બંગાળની ઝાંખી નહી દેખાય. CAA અને NRC ને લઈને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ પહેલાથી જ આમને-સામને છે

ત્યારે આવામાં ઝાંખીનો પ્રસ્તાવ ફગાવવાથી વાત આગળ વધી શકે છે. એક્સપર્ટ કમીટીએ આ

વર્ષ માટે 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝાંખીને મંજૂરી આપી છે.

પશ્ચિમ

બંગાળ સરકારના સૂત્રો અનુસાર તેમના દ્વારા રાજ્યમાં વિકાસ કાર્યો, જલ સંરક્ષણ, પર્યાવરણ

સંરક્ષણની થીમ પર ઘણા પ્રસ્તાવ આપ્યા હતા. 2019 માં

પશ્ચિમ બંગાળની ઝાંખી ગણતંત્ર દિવસે પરેડમાં શામિલ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી NRC અને CAA વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવી

રહી છે. મમતાનું કહેવું છે કે તે કોઈપણ સ્થિતિમાં NRC અને

CAA ને પોતાના રાજ્યમાં લાગૂ

નહી થવા દે. 23 ડિસેમ્બર

2019 ના રોજ મમતા બેનર્જીએ શરદ પવારને પત્ર લખીને NRC અને CAA પર સમર્થનની અપીલ કરી હતી.

મમતાના પત્રના જવાબમાં શરદ પવારે 27 ડિસેમ્બર 2019 ના રોજ એક પત્ર મોકલ્યો કે

જેમાં NRC અને CAA વિરુદ્ધ મમતા બેનર્જી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન પ્રત્યે

પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.

Next Story