અંકલેશ્વર: ભડકોદ્રા ગામ સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરના પાટોત્સવની કરાય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં સાળંગપુરવાળા કષ્ટભંજન દાદાની આબેહૂબ પ્રતિમાનું સ્થાપન કરાયું છે...

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલું છે મંદિર

  • કષ્ટભંજન હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર

  • મંદિરના પાટોત્સવની કરવામાં આવી ઉજવણી

  • હનુમાન જયંતિની પણ કરાય ઉજવણી

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Advertisment
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાટોત્સવ અને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં સાળંગપુરવાળા કષ્ટભંજન દાદાની આબેહૂબ પ્રતિમાનું સ્થાપન કરાયું છે ત્યારે આ મંદિરના પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.
સાથે જ હનુમાન જયંતીની પણ ઉજવણી કરાઈ હતી. પાટોત્સવ નિમિત્તે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર રુદ્ર અવતાર હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Advertisment
Latest Stories