Connect Gujarat
ધર્મ દર્શન 

વાસ્તુ અનુસાર શુભ ગણાતું આમળાનું ઝાડ ઘરની આ દિશામાં લગાવવાથી થતા ફાયદા,વાંચો....

હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.

વાસ્તુ અનુસાર શુભ ગણાતું આમળાનું ઝાડ ઘરની આ દિશામાં લગાવવાથી થતા ફાયદા,વાંચો....
X

હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે. આમળા સ્વાસ્થય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તેના લાભ પણ છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે ઘરની કઈ દિશામાં આમળાનું ઝાડ લગાવવું વધુ ફાયદાકારક સાબિત થાય છે.

આમળાના ઝાડનું ધાર્મિક મહત્વ :-

આમળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું વાસ્તવિક સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ અને તેના ફળ ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. કારતક માહિનામાં શુક્લ પક્ષની નવમી તિથિને આમળા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કર્યા પછી આમળાના ઝાડની છાયા નીચે બેસીને ભોજન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. તેની સાથે જ વ્યક્તિના તમામ પાપ પણ દૂર થઈ જાય છે.

આ દિશામાં વૃક્ષો વાવવું શુભ :-

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં આમળાનું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે. હિંદુ માન્યતાઓ અનુસાર નિયમિત રીતે આમળાના ઝાડની પૂજા કરવાથી ઘરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં આમળાનું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં આમળાનું ઝાડ વાવીને તેને નિયમિત જળ ચઢાવવાથી સાધકના પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. તેની સાથે નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે.

Next Story