ભરૂચ : ઝઘડિયાના જુના તરસાલી ગામે હાજી મન્સૂર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • ઝઘડિયાના જુના તરસાલી ગામે ઉર્સની ઉજવણી

  • હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની કરાઈ ઉજવણી

  • બે ટાઈમ નિયાઝનું પણ કરાયું આયોજન

  • ઉર્સમાં જાણીતા કવાલોએ કવાલીઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલ જુના તરસાલી ગામ સ્થિત હાજી મન્સુર શાહ કાદરી સત્તારીના મઝાર શરીફ પર 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતીઆ પ્રસંગેદરગાહ શરીફ કંપાઉન્ડમાં સવારે અને સાંજે નિયાઝનુંપણઆયોજન કરવામાં આવ્યું હતું,અને રાત્રે બદાયુના મશહૂર કવાલ નઈમ સાબરી અને કપાસણના મશહૂર કવાલ શબ્બીર સદાક્ત સાબરીએ શાનદાર કવાલીઓ રજૂ કરી હતી.આ પ્રસંગે ઉર્સમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉર્સમાં હાજરીઆપવાઆવેલા તમામ લોકો માટે બે ટાઈમ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ અબ્દુલ કાદર બાપુ દ્વારા પાર પાડવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમને સફળ બનાવવા માટેHM કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન, ભાવિક ભક્તો લઇ રહ્યા છે લાભ

અંકલેશ્વર રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવી રહ્યા છે.

New Update
Radha Vallabh Temple
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના પંચાટી બજારમાં આવેલ શ્રી રાધાવલ્લભજીની હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવી રહ્યા છે પ્રતિદિન સાંજે સાતથી આઠ વાગ્યા સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. વૈષ્ણવ પ્રેમીઓ પોતાના જન્મદિન અથવા પોતાના પૂર્વજોની તિથિ અને પુણ્યતિથિ નિમિત્તે હવેલીમાં હિંડોળા ઉત્સવ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે હિંડોળા દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.