ભરૂચ: મૌની અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી આસ્થાની ડૂબકી

મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે

New Update
  • આજરરોજ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ

  • મૌની અમાવસ્યા નિમિત્તે નદીઓમાં સ્નાનનું મહત્વ

  • મહાકુંભમાં અમૃત સ્નાન યોજાયું

  • ભરૂચમાં ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી ડૂબકી

  • નર્મદા નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

આજરોજ મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં અમૃત સ્નાન યોજયુ હતું ત્યારે ભરૂચમાં ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે.
આ દિવસે ભક્તો ગંગા, નર્મદા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા નદીના કિનારે ભક્તોએ સ્નાન કર્યું હતું.
મૌની અમાસના દિવસે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સેંકડો ભક્તોએ અમૃત સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું ત્યારે જે લોકો મહાકુંભમાં નથી જઈ શક્યા તેઓએ પાવન સલીલા માં નર્મદામાં સ્નાન કર્યું હતું.મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. 
આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે, ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે.
Read the Next Article

દ્વારકા : નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તો બન્યા શિવમય,મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુ

નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે

New Update
  • શિવમય શ્રાવણનો પ્રથમ દિવસ

  • નાગેશ્વર ધામમાં ગુંજ્યો શિવનો નાદ

  • નાગેશ્વર મહાદેવના દર્શન માટેનો થનગનાટ

  • વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર

  • મહાદેવજીના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા  

દ્વારકા જિલ્લાના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે.આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વ.ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે.શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે,અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં પૂજાનું  વિશેષ મહત્વ છે,ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ શિવ મંદિર છે.તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.ત્યારે શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનું પણ અનેરું મહત્વ છે.ત્યારે શિવભક્તો નાગેશ્વર ધામના દર્શન કરીને મનની શાંતિ સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.