ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય...

આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

New Update
ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના 27માં પાટોત્સવ નિમિત્તે સભા, આરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે સ્વામિનારાયણ ભગવાને અનેક લીલા ચરિત્રો કર્યા તેમજ પોતાની હયાતીમાં લાખો મનુષ્યોને સત્સંગી બનાવ્યા હતા. સત્સંગનો પ્રચાર અને પ્રસાર વધુ થાય તે માટે અનેક કાર્યો કર્યા હતા. આત્યંતિક મોક્ષની શરદઋતુ સદાય માટે ચાલતી રહે આવા ઉમદા હેતુથી ભગવાને સ્વહસ્તે મંદિરોની સ્થાપના કરી હતી.

આ હેતુસર યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામી મહારાજે ભરૂચના નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 26 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ અવસરે વિવિધ કાર્યક્રમો સાથે હજારો હરિભક્તો ઉપસ્થીતમાં ભક્તિમય માહોલમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભકતોની આસ્થા અને શ્રદ્ધાનું અનેરું કેન્દ્ર છે.

મંદિર એ સાંસ્કૃતિક સંકુલ રહેલું છે. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક સહિત ધાર્મિક પ્રવૃતિઓનું કેન્દ્ર છે. જેમાં પ.પૂ.દાસ સ્વામી, પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી, પ.પૂ. હરિપ્રકશ સ્વામી, પ.પૂ.આનંદસ્વરૂપ સ્વામી, પ.પૂ. યોગીસ્વરૂપ સ્વામી, પ.પૂ.સ્તુતિપ્રકાશ સ્વામી તેમજ નવ દીક્ષિત સંતો તેમજ 151 જેટલા વિવિધ સંપ્રદયોના સાધુ-સંતો, મહંતોની વિશેષ ઉપસ્થિતમાં 27મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

Read the Next Article

દ્વારકા : નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તો બન્યા શિવમય,મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુ

નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે

New Update
  • શિવમય શ્રાવણનો પ્રથમ દિવસ

  • નાગેશ્વર ધામમાં ગુંજ્યો શિવનો નાદ

  • નાગેશ્વર મહાદેવના દર્શન માટેનો થનગનાટ

  • વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર

  • મહાદેવજીના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા  

દ્વારકા જિલ્લાના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે.આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વ.ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે.શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે,અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં પૂજાનું  વિશેષ મહત્વ છે,ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ શિવ મંદિર છે.તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.ત્યારે શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનું પણ અનેરું મહત્વ છે.ત્યારે શિવભક્તો નાગેશ્વર ધામના દર્શન કરીને મનની શાંતિ સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.