બોટાદ : સાળંગપુરમાં “શ્રી હનુમાન જયંતી” નિમિત્તે દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરાયો…

સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કષ્ટભંજન હનુમાન દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન

New Update
  • શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી

  • સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી

  • મંગળા અને શણગાર આરતીમાં લાખો ભક્તોએ લ્હાવો લીધો

  • કષ્ટભંજન હનુમાન દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન

  • 51 હજાર બલૂન ડ્રોપથી તમામ ભક્તોનું ભવ્ય સ્વાગત કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છેત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજ-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અંદાજે રૂ. 9 કરોડથી વધુના 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે. શ્રી હનુમાન જયંતિ અને શનિવારના અનોખા સમન્વય સાથે વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી. આ સાથે જ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી સહિત સમુહ મારૂતી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

વધુમાં 250 કિલોની કેક કાપી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલયમંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે તૈનાત રહ્યા છેત્યારે આજરોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Latest Stories
    Read the Next Article

    ભૂસ્ખલનના ભય વચ્ચે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી, જવાનું વિચારતા હોવ તો આટલું જાણી લો

    ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય.

    New Update
    Kedarnath yatra2025

    કેદારનાથ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જોકે, નદી હજુ પણ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.

    ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય. વાસ્તવમાં ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે બાદમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) દ્વારા સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. 

    ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણા ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. તાજેતરમાં, બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ બની હતી. ઉત્તરાખંડના ચાર જિલ્લાઓ માટે ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે 7 અને 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનની શક્યતાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.


    કેદારનાથ યાત્રા એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત કેદારનાથ મંદિરની હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ યાત્રા છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) નો ભાગ છે. કેદારનાથ મંદિર હિમાલયના ખોળામાં 3,583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેને 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.

    Latest Stories