જુનાગઢ : ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળાનો ભવ્ય પ્રારંભ...

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવ્યો ....

New Update
  • ગિરનારની ગોદમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ

  • ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરી વિધિવત મેળો શરૂ

  • હર હર મહાદેવ નાદ સાથે ભવનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

  • ભજનભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન છે મેળો

  • 5 દિવસ સુધી સાધુ-સંતોલાખો ભાવિકો ગિરનાર ખાતે ઉમટશે

જુનાગઢના ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જુનાગઢમાં વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિ-અનાદી કાળથી ચાલતી પરંપરા પ્રમાણે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનો જયકારો બોલાવી મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છેત્યારે ગિરનારની ગોદમાં ભજનભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજજગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજઇન્દ્રભારતી બાપુમુક્તાનંદ બાપુમહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજબુદ્ધગીરી મહારાજ તેમજજુનાગઢ કલેક્ટરએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

જુનાગઢ મનપાના અધિકારીઓજિલ્લા વહિવટી તંત્રઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજાપૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રિ મેળામાં દૂર દૂરથી દેશ-વિદેશથી સાધુ-સંતો પણ આવી પહોંચે છે.

સાધુ-સંતોનાગા બાવાઓ ધૂણી ધખાવી ભોળાનાથના ભજન કરે છે. છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતી શિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ થાય છેજેમાં સાધુ-સંતો અવનવા કરતબો કરતા હોય છે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલામગીફંડ ખાતે શાહી સ્નાન બાદ મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની યાત્રાએ જવા રવાના

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા

New Update
  • પવિત્ર શ્રાવણ માસનો થઈ રહ્યો છે પ્રારંભ

  • ઇલાવ ગામના કાવડયાત્રીઓ રવાના થયા

  • કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની યાત્રાએ રવાના

  • હર હર મહાદેવના નાદ સાથે કાવડયાત્રાનો પ્રારંભ

  • 1700 કી.મી.નું અંતર પગપાળા કાપશે

ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની કાવડયાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા.
આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કી.મી.નું અંતર પગપાળા કાપી 28 દિવસે બન્ને જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશેઅને  દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજનું 50 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.