Connect Gujarat
ધર્મ દર્શન 

સાબરકાંઠા : શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે રાજસ્થાનના રાજપુરોહિત સમાજે યોજી શોભાયાત્રા

અખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષોથી વસવાટ કરી રહેલા રાજપુરોહિત સમાજ દ્વારા હિંમતનગર શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમાજના ગુરુ એવા શ્રી શ્રી 1008 બ્રહ્મ અવતારી કુલ ગુરુ ભગવાન શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિત ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન થકી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

Next Story