અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં ફી’ વધારા મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ, ટીંગાટોળી સાથે પોલીસે કરી કાર્યકરોની અટકાયત

NSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસમાં ધસી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

New Update
  • ગુજરાત યુનિવર્સિટીમાંNSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • ફીમાં વધારો થતાંNSUIના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

  • કુલપતિની ઓફિસમાં ધસી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા

  • NSUI કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

  • કુલપતિના ઘરનો પણ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી

ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં થયેલ રૂ. 5500 સુધીના વધારાના વિરોધમાંNSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસમાં ધસી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળીસાથેઅટકાયત કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જB.COMથી લઈPHDના કોર્સમાં 1800થી 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. ફી વધારાને લઈનેNSUI દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતોઅને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી.

જોફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવો અને આગામી દિવસોમાં કુલપતિના ઘરનો પણ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતીત્યારે આજરોજ ફરી એકવારNSUIના કાર્યકરોએ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દેNSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં જઈને ધમપછાડા કરી કુલપતિના ચેમ્બરની જાળી તોડી નાખી હતી.NSUIના કાર્યકરોએ કુલપતિ સામે જ તેમની ઓફિસમાં બેસી જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક યુનિવર્સિટી ખાતે દોડી આવ્યો હતોજ્યાં વિરોધ કરી રહેલાNSUIના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

Read the Next Article

ભરૂચ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત આયોજન કરાયું

  • સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. 
યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી.આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.